બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:54 PM, 27 June 2024
October Surya Grahan 2024 : હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે આવરી લે છે. જેના કારણે પૃથ્વી પરનો સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે ઓછો અથવા અદૃશ્ય થઈ જાય છે. આ વર્ષ એટલે કે 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ થયું હતું જેની અસર અમેરિકા અને તેની આસપાસના દેશોમાં જોવા મળી હતી. આ પછી વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ પણ થવાનું છે.
ADVERTISEMENT
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું ન હતું તેથી લોકોના મનમાં વર્ષના આગામી સૂર્યગ્રહણને લઈને ઘણા પ્રશ્નો છે, સૂર્યગ્રહણ ક્યારે થશે અને શું આ વખતે ભારતમાં દેખાશે કે નહીં? ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે તમામ રાશિઓ તેમજ દેશ અને દુનિયાને સકારાત્મક અને નકારાત્મક રીતે અસર કરે છે. કેલેન્ડર મુજબ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે જે આ વર્ષનું છેલ્લું ગ્રહણ પણ હશે.
ADVERTISEMENT
2024નું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે?
ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર, 2024 બુધવારના રોજ થવાનું છે. આ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ રાત્રે 09:10 થી 3:17 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક 4 મિનિટનો રહેશે.
તોશું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે?
આ વર્ષનું પહેલું સુર્યગ્રહણ ભારતમાં નહોતું દેખાયું. જોકે હવે આ વર્ષ એટલે કે 2024નું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં નહિ દેખાય. જોકે તેનું મુખ્ય કારણ એ છે કે ગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે થશે.
શું સૂર્યગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે?
વર્ષ 2024નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય જેના કારણે તેનો સુતક સમય માન્ય રહેશે નહીં અને ન તો સુતક કાળના નિયમોનું પાલન કરવામાં આવશે.
2024માં સૂર્યગ્રહણ કયા દેશોમાં જોવા મળશે?
વૈજ્ઞાનિક અનુમાન મુજબ વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ મેક્સિકો, બ્રાઝિલ, ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, આર્કટિક, કુક આઇલેન્ડ, ઉરુગ્વે વગેરે દેશોમાં જોવા મળશે.
વધુ વાંચો : સૂર્ય, બુધ અને શુક્ર મળીને બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિવાળા થઇ જશે માલામાલ
સૂર્યગ્રહણ પર સુતકનો સમયગાળો ક્યારે શરૂ થાય છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણના બરાબર 10 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે અને આ સમયગાળા દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. સુતક કાળ ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ સમય માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન પૂજા કરવાની મનાઈ છે. આ સાથે તમામ ધાર્મિક સ્થળો કે મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT