બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 02:58 PM, 26 September 2019
જો તમે તમારા રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો તમને લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. જણાવી દઇએ કે બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે સાથે જ આ તમને દરેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે.
ADVERTISEMENT
બીટનો જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ બીટની ઉપર ઘણા પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે જેમાં સંશોધનકર્તાએ જાણ્યું કે દરરોજ બીટના જ્યુસનું સેવન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તો બીજી બાજુ એક 2011ના રિપોર્ટ પ્રમાણએ બીટનો જ્યુસ પીવાથી ડિમેન્શિયાનું જોખમ પણ ઓછું થઇ જાય છે. વાસ્તવમાં, બીટના જ્યુસમાં ભારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય છે જેના કારણે વધતી ઉંમરમાં બીટ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મગજમાં લોહીના ફ્લોને ફાસ્ટ કરે છે જેનાથી એમને ભૂલવાની બિમારી થતી નથી.
ADVERTISEMENT
આયરનની સાથે સાથે બીટમાં પોટેશિયમ પણ મળી આવે છે. બીટથી શરૂરમાં મોજૂદ દરેક ચીજ યોગ્ય રીતે કામ કરે છે. સાથે જ શરીરમાં પોટેશિયમની ખામીના કારણે નબળાઇ અને થાક મહેસૂસ થાય છે. એનીમિયાથી પરેશાન લોકો માટે બીટ એક વરદાન જેવું છે. એમાં મોજૂદ આયરન શરીરમાં લોહીની ખામીને દૂર કરવાની સાથે સાથે બ્લડને પ્યૂરીફાઇ પણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.